Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની આજે સામાન્ય બેઠક મળી હતી, જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી હોસ્ટલમાં રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેઓ પોતાના વતનમાં પરીક્ષા આપી શકશે.

સામાન્ય બેઠકમાં અન્ય એક નિર્ણય એ પણ લેવાયો છેકે બોર્ડ દ્વારા શાળાઓને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે, આ નિર્ણયથી માન્યતા વગરની શાળાઓનું દૂષણ દૂર કરી શકાશે. કેટલીક શાળાઓ દ્વારા એસએસીના પરિણામ પહેલા જ પ્રવેશ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિકમાં પ્રવેસ આપતી હોય છે,આવી પ્રવૃત્તિ અટકાવા માટે એસસસીના પરિણામ બાદ જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી નીતિ અપનાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.