Abtak Media Google News

સૌ ભણે સૌ આગળ વધેના સુત્ર સાથે સરકાર દ્વારા બાળકોના અભ્યાસ પાછળ કરોડો રુપિયાનો ખચઁ કરાય છે ત્યારે આ બાળકોના માતા-પિતા પણ પોતાનુ સંતાન ભણીગણીને આગળ વધે તેવી ઇચ્છા ધરાવતા હોય છે પરંતુ કેટલાક આથીઁક પછાત સમાજના વિધાથીઁઓના માતા-પિતા આથીઁક ભીસના લીધે પોતાના બાળકોને સંપુણઁ અભ્યાસ કરાવી નથી શકતા તેવામા ધ્રાગધ્રા બાબા સાહેબ આંમ્બેડકર યુવા સમિતિના સભ્યો દ્વારા ધ્રાગધ્રા પંથકના દરેક ધોરણ ૧૧ તથા ૧૨ના તમામ પરીક્ષામા પાસ થયેલા વિધાથીઁઓનુ સન્માન કરી પ્રોત્સાહીત કયાઁ હતા સાથોસાથ સમિતિના સભ્યો દ્વારા હાલમાજ ભણતર પુણઁ કરી અન્ય સરકારી નોકરીમા લાગેલા તમામ સરકારી નોકરીયાત તથા સમાજના ગૌરવનુ સન્માન કરાયુ હતુ. ધ્રાગધ્રા આંમ્બેડકર હોલ ખાતે વિધાથીઁઓના સન્માન સમારોહમા દલિત સમાજના અનેક નામી અનામી મહેમાનો હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.