Abtak Media Google News

નવા મદદનીશ ચેરીટી કમિશ્નર તરીકે શ્રી સંઘવીની નિમણુંક

ગીર સોમનાથ અને જૂનાગઢની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના મદદનીશ ચેરીટી કમિશ્નર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા શ્રી બી.એચ. હુણની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. રાજય સરકાર ધ્વારા તેમની જગ્યાએ અમદાવાદ ખાતેથી બદલી થઇને આવેલા શ્રી એ.જે. સંઘવીને મુકવામાં આવ્યા છે. શ્રી હુણ જૂનાગઢ ખાતે રેગ્યુલર અને ગીર સોમનાથ જિલ્લાનાં ઇન્ચાર્જ મદદનીશ ચેરીટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા.

બી.એચ. હુણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવી હતી. બન્ને જિલ્લાનાં ૧૯૯૬૭ જેટલા ટ્રસ્ટો કાર્યરત છે. શ્રી હુણે તેમની ફરજ દરમ્યાન બન્ને જિલ્લામાં ટ્રસ્ટ એકટના મોટા ભાગના કેસોનો નિકાલ કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.