Abtak Media Google News

જસદણથી ર૦ કી.મી. દુર આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો પૌરાણીક ઇતિહાસ, મંદિર ૧પમી સદી આસપાસનું હોવાની લોકવાયકા

સૌરાષ્ટ્રની પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી ર૦ કી.મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન ઘેલાસોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલીંગની કથા અનોખી છે.

શિવલીંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલા સોમનાથ આ મંદિરનો આશરે ૧૫મી સદી ૧૪૫૭ ની આસપાસનો ઇતિહાસ છે મંદીરને બચાવવા માટે ઘેલો વાણીયો સાત દિવસ સુધી માથા વગર લડયો હતો.

વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદીરને લુંટવા તથા મંદીરનો નાશ કરવા માટેએ સમયે મહમદ ગઝનીએ બે ત્રણ વાર હુમલો કર્યો હતો. પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી.

એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભકિતમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથે બચવા તેમણે શિવલીંગની સ્થાપના ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા. આમ મીનળદેવીને ભોળાનાથમાં અપાર શ્રઘ્ધા હતી.

ઇ.સ. ૧૪૫૭ ની વાત છે. જયારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સપનમાં આવીને કહ્યું હતું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ ૧૪૫૭ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી તેેણે ભૂગર્ભમાં જયોતિલીંગ છે. તેની જાણ થતાં આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેનાં પિતાશ્રીના મનસુબાની જાણ કરી દીધી હતી.

એજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળેલા. આમ સોમનાથ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલ્તાનને ખબર પડી કે શિવલીંગ તો સોમનાથનમાં રહ્યું નથી.

તેથી તણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રીયો અને બ્રાહ્મણો શિવલીંગ બચાવવા સૈન્ય સાથે યુઘ્ધે ચડયા, આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કીલોમીટર દુર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોચ્યું અહીં શીવલીંગની સ્થાપના થઇ સાથો સાથ આ મંદીરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

સાથે સાથે શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભકતો દ્વારા ર૦૦ કરતા વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે. તો સરકાર અને ભકતો તરફથી બારે મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઘેલા સોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન પૂજારી હસુભાઇ જોશી દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહીનામાં લોકમેળો હોય છે.

 ઘેલા સોમનાથ મહાદેવના મંદિર સામે ડુંગર પર શ્રી મીનળદેવી બિરાજમાન છે.

અહીંની એક લોક વાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલીતી હોય છે. ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે.

જો મીનળદેવના મંદીર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું.  સાથે જ જો તમે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરો અને મેનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અકુરી ગણાય છે.

ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદીરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદીરના ટ્રસ્ટ દ્વારા શુઘ્ધ પાણી પણ રાખવામાં આવે છે.

જેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રસાદ માટે પણ કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

જો તમારે ઘેલાસોમનાથ દાદાના દર્શન જવું હોય તો રાજકોટથી ૮૦ કીલોમીટર નો રસ્તો છે અને જો તમે સુરત, વડોદરા કે અમદાવાદ તરયફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું બગોદરાથી ધંધકાુ અને પાળીયાદ થઇ ને વીછીંયા થી તમે ઘેલા સોમનાથ જઇ શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદીરમાં વહીવટદાર તરીકે સેવા આપણા નેકદીલ ઇન્સાન મનુભાઇ શીલું નાયબ મામલતદાર તરીકે નિવૃત થયા બાદ આ મંદિરમાં ભાવિકોની અહોભાવથી સેવા એક પણ નયા પૈસાનો પગાર લીધા વગર કરી રહ્યાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.