Abtak Media Google News

પિતાની છત્રછાયા ગુમાવનાર અંકિતાને અભ્યાસ માટે સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દર મહિને ૨૦૦૦ની સહાય ચૂકવવામાં આવી રહી છે

વર્તમાન સમયમાં આજે દરેક માતા-પિતાનું સપનું હોય છે કે મારુ બાળક ઉચ્ચ અભ્યાસ કરી ટોચનું સ્થાન પ્રાપ્ત કરે ભલે માતા-પિતા ઓછું ભણ્યા હોય પણ તેમનું બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે જેમ માતા-પિતાએ જીવનમાં મુશ્કેલી વેઠી તેવી મુશ્કેલીઓ તેમના પુત્ર કે પુત્રીને વેઠવી ન પડે પરંતુ કુદરત આગળ માનવનું જીવન પામર છે. જયારે ઘરના કમાવનાર પુરૂષ વ્યક્તિ કોઈ સંજોગોવસાત કે આસ્કમિક મૃત્યુ પામે ત્યારે તેમના કુંટુંબ પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થીતી નિર્માણ થાય છે. એ સમયે બાળકોના માતા બાળકોના શિક્ષણ અને ભરણ પોષણની ચિંતા કરતા હોય છે. આના કારણે ઘરના કમાવનાર વ્યક્તિનું આકસ્મિક અવસાન  થાય ત્યારે આવા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણ વંચિત રહેવા ન પામે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આવા બાળકો માટે સ્પોન્સરશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સમાજનું કોઈપણ બાળક શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત ન રહે અને સારુ શિક્ષણ પ્રાપ્ત કરે અને તેનું જીવન ઘડતર થાય તે માટે સરકાર સતત જાગ્રુતતા પુર્વક ચીંતા કરી રહી છે . આવી જ એક કુટુંબ પર વિપરીત પરિસ્થીતી ઉભી થઇ, જુનાગઢ જીલ્લાનાં માળિયા હાટીના તાલુકાના ગડુ (શેરબાગ)માં રહેતા અરૂણાબેન નીલેશભાઈ ભારથીની. કે જેઓ મધ્યાહન ભોજન યોજનામાં રસોયા તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ નીલેશભાઈનું આકસ્મિક અવસાન  થતા તેમના પરિવાર પર જાણે કે આફત આવી પડી હોય તેવી પરિસ્થીતી ઉભી થઇ હતી. અરૂણાબેનના પતિનું અવસાન  થતા તેમની દિકરી અંકિતાના ઉછેરની સાથે તેને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સતત ચિંતિત રહેતા હતા. આવા કપરા સમય દરમ્યાન અરૂણાબેનને રાજ્ય સરકારની સ્પોન્સરશીપ યોજના વિશે જાણકારી મળતા તેમના જીવનમાં એક આશાનું કિરણ દેખાયું આ યોજનાની જાણ થતા અરૂણાબેને જીલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢની કચેરીએ પહોંચી ગયા.અરૂણાબેનને આ કચેરી દ્વારા યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવતા ફોર્મ ભરી કચેરીમાં જમા કરાવી દીધું. જીલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીએ ફોર્મની ચકાસણી કરી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સુસગંત હોય જેથી અરૂણાબેનની અરજી માન્ય રાખી તેમની બાળકી અંકિતાને શિશુમંગલ સંસ્થા-જુનાગઢ ખાતે રાખવામાં આવી હાલમાં અંકિતા આ યોજનાના લાભ થકી ગડુ સ્થિત વીર ભગતસિંહ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરી રહી છે.આ યોજના હેઠળ અરૂણાબેનને રાજ્ય સરકાર દ્વારા દર માસે અંકિતાના શૈક્ષણિક હેતુના સમાજ સુરક્ષા કચેરી તરફથી રૂ.૨૦૦૦/- સહાય ચુકવવામાં આવે છે. જે સહાય તેમની પુત્રી અંકિતાના અભ્યાસ અને ઉછેર પાછળ કરી રહ્યા છે.

સરકારની આ યોજનાથી અંકિતા આજે સારૂ એવું શિક્ષણ મેળવવાની સાથોસાથ તેમનામાં રહેલ પ્રતિભાને ખીલવવાની તક મળી છે. તેનો તે ભરપુર ઉપયોગ કરી રહી છે. આ યોજનાનો લાભ મેળવી રહેલ અંકિતા જણાવે છે કે આજે હું આ સહાયથી સારૂ શિક્ષણ મેળવવામાં સફળ થઇ છું અને ઉચ્ચ કક્ષાનુ શિક્ષણ મેળવી ઉચ્ચ હોદા પર બેસીશ એવો મને પુરેપુરો આત્મ વિશ્વાસ છે. અંકિતાએ વધુમાં જણાવ્યું કે આ યોજનાએ મારા જીવનમાં પ્રાણ પુર્યા છે. જેથી આજે મારે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું સાકાર થવાની સાથે સાથે મારી કારકિર્દી ઘડતર કરવા માટે આ યોજના મારા અને મારા કુંટુંબ માટે આશીર્વાદ સમાન બની રહી છે જેથી હું રાજ્ય સરકારનો આભાર માનું છું.

આમ આજે રાજ્ય સરકારની સ્પોન્સરશીપ યોજનાએ જીલ્લાનાં અને રાજ્યના આવા બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાની સાથે કોઈપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહેવા પામે તેની સતત ચીંતા કરતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.