Abtak Media Google News

ફર્નિચર ઉત્પાદનો ઉપર ૨૮ ટકા જીએસટી દરના વિરોધમાં ગુજરાત ફર્નિચર એસો. દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ફર્નિચર એસો. દ્યારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વેપારીઓએ બંધ પાળી જીએસટીનો વિરોધ કર્યો હતો. વેપારીઓએ જીએસટીના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બાબતે વેપારીઓ દ્વારા ના. કલેકટર હર્ષદ વોરાને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું જેમાં જીએસટીના દર બાબતે વેપારીઓનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોચાડવામાં આવે તેવી માંગ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.