Abtak Media Google News

સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા વચ્ચે ડેમુ ટ્રેનને રેલવે વિભાગે બોટાદ સુધી લંબાવાનો નિર્ણય કર્યો હતો. બોટાદ ની જનતા ને તા.9/2/2019 નાં રોજ થી બોટાદ થી ધ્રાંગધ્રા સુધી ની ડેમૂ ટ્રેન નો લાભ રેલ્વે મંત્રાલય દ્રારા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમૂ ટ્રેન ને બોટાદ સુધી લંબાવતા લોકો માં ખુશી છવાય છે.

ત્યારે આગામી 9 તારીખે આ ટ્રેન સૌ પ્રથમ વાર બોટાદથી ધ્રાંગધ્રા તરફ જનાર છે. જેમાં બોટાદથી સવારે 6.30 અને સાંજે 4.30 કલાકે ડેમુ ટ્રેન ઉપડશે. જ્યારે બીજીતરફ ધ્રાંગધ્રાથી સવારે 9.30 અને સાંજે 7.55 કલાકે ટ્રેન ઉપડી બોટાદ તરફ રવાના થશે.

આ ટ્રેનથી કુંડલી,રાણપુર,ચૂડા,લીંબડી,વઢવાણસિટી,જોરાવરનગર,સુરેન્દ્રનગર ગેટ,સુરેન્દ્રનગર,કટુડા,રાજસીતાપૂર,અને ધ્રાંગધ્રા જવામાં સરળતા રહેશે. અને નોકરિયાત વર્ગ અને વિધ્યાર્થીઑને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.