Abtak Media Google News

મોહનભાઇ કુંડારીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી

વાંકાનેર ખાતે તા-૨ના સાંજે ૬:૦૦ કલાકે અહીં આવેલા શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ ની ભોજનશાળા રામ ચોક ખાતે યોજવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં કોમી એકતાના પ્રતીક હિન્દુ-મુસ્લિમોએ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન અતિથિવિશેષ  તેમજ અધ્યક્ષ મહેમાન તરીકે આવેલા મોહનભાઈ કુંડારિયા(પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી તથા સાંસદ રાજકોટ) તેમજ જીતુભાઇ મહેતા સમસ્ત સૌરાષ્ટ્ર  કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટી, હિરેન ભાઈ પારેખ મહામંત્રી શ્રી મોરબી જિલ્લા ભાજપ, યુવરાજ કેસરી દેવસિંહજી રાજવી પરિવાર વાંકાનેર, ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા અંજાર નગરપાલિકા ઉપ પ્રમુખ,મિલનભાઈ શુકલ,તેજશભાઈ ત્રિવેદી,દિનુભાઈ વ્યાસ,શૈલેષભાઈ મઢવી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ સમય દરમિયાન આયોજકો દ્વારા સર્વે મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી પધારેલ મહેમાનો નુ  ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.કોમી એકતાના પ્રતીક મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો પીઢ પત્રકાર મહમદ રાઠોડ,આરીફ મેમણ મોરબી,તેમજ વિખ્યાત ફોટો ગ્રાફર ભાટી એન.વગેરે નુ શાલ ઓઢાડી  સન્માન કરવામાં આવ્યું હતું.Img 20181202 Wa0023 1 આ સંમેલનનો હેતુ સંપ એકતા ને વધુ મજબૂત કરાઈ તેવા હેતુસર વાંકાનેર સમસ્ત  યુવા બ્રહ્મ સમાજ તથા રાજગોર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ રાજુભાઈ,શૈલેષભાઈ મઢવી(ભાવદીપ ઔષધ) સહિતના  યુવાનો કાર્યકરો સારી એવી જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.