Abtak Media Google News

ભારત જન વિજ્ઞાન જાથાનાન સહયોગથી જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ મહીલા સત્સંગ મંડળના ઉપક્રમે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડો. જતીન મકવાણા, ડો. કોમલ દોશી, ડો. રવિકુમાર મેઢા સેવા આપશે.

કેમ્પનું આયોજન તા.રર ને રવિવારે સવારે ૯ કલાકે મહાદેવ ધામ-૪ જીવનનગર અનિલ જ્ઞાન મંદીર સ્કુલ પાછળ, બ્રહ્મસમાજ સામે રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે. નિદાન કેમ્પનું ઉદધાટન ડે.મેયર ડો. દશિતાબેન શાહના હસ્તે કરાશે. મહેમાન પદે વોર્ડ નં.૧૦ના નગર સેવકો બીનાબેન આચાર્ય, જયોત્સાબેન ટીલાળા, અશ્ર્વિનભાઇ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશ હુંબલ, વોર્ડના હોદેદારોમાં પ્રભારી માવધ દવે, પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, મીતાબેન વાછાણી ઉપરાંત ભાજપના પદાધિકારીઓ ઉ૫સ્થિત રહેશે.

કેમ્પને સફળ બનાવવા માટે સમીતીના પ્રમુખ જયંત પંડયાના માાર્ગદર્શન હેઠળ મુકેશભાઇ પોપટ, જેન્તીભાઇ જાની, ગોવિંદભાઇ ગોહેલ, નવીનભાઇ પુરોહિત, વિનુભાઇ ઉપાઘ્યાય, પાર્થ ગોહેલ, પંકજભાઇ મહેતા, ભુપતભાઇ મહેતા, રસિકભાઇ શુકલ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.અંતમાં નામની નોંધણી કરાવનારે સમયસર હાજર રહેવા અનુરોધ કરાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.