Abtak Media Google News

શું આટલા વરસાદ પછી પણ આપણે પાણી માટે વલખા મારવા પડશે?

વધારાના પાણીને સંગ્રહવાની યોગ્ય સુવિધાના અભાવે અમૂલ્ય એવું નર્મદા ડેમનું વધારાનું ૩૦ હજાર એમસીએમ પાણી દરિયામાં વહી ગયું!

ગ્લોબલ વોર્મિંગની આડ અસરના કારણે છેલ્લા થોડા વર્ષોથી ચોમાસુ અનિયમિત થઈ ગયું છે. જેના કારણે રાજયના એક ભાગમા ભારે વરસાદ થાય છે તો બીજા ભાગમાં સાવ ઓછો વરસાદ નોંધાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજયમાં મોડેથી આવેલા પાછોતરા વરસાદે જમાવટ બોલાવી હતી. અને દાયકાઓ બાદ રાજયભરમાં સાર્વત્રિક શ્રીકાર વરસાદ નોંધાયો હતો. જેની રાજયભરના દરેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ પડેલા ભારે વરસાદથી ગુજરાત જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદીમાં ઘોડાપૂર પાણી આવ્યા હતા. સરદાર સરોવર ડેમ બન્યા બાદ પ્રથમ વખત જો વિપૂલ માત્રામાં પાણી આવતા રાજય સરકારે ડેમને તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા ૧૩૮.૬૮ મીટર સુધી ભરવાનો નિર્ણય કર્યો હતો. ડેમની આ સંગ્રહક્ષમતા સુધી પાણી ભરાય ગયા બાદ પણ નર્મદા નદીમાં વિપૂલ માત્રામાં પાણીની આવક ચાલુ રેતા ડેમના પાટીયા ખોલાતા ડેમની સંગ્રહ ક્ષમતા કરતા ચાર ગણુ પાણી દરિયામાં વહી જઈને વેડફાય ગયું હતુ.

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સમસ્યા સમયાંતરે ઉભી થતી રહી છે. નર્મદા ડેમ નદી પર સરદાર સરોવર ડેમ બનવા આડેના અંતરાયો દૂર થયા બાદ આ ડેમ ગુજરાતની જીવાદોરી સમાન પૂરવાર થઈ રહ્યો છે. રાજયની સરકારે નર્મદા કેનાલ અને સૌની યોજના દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં નર્મદાના નીરની સ્થાનિક ડેમોને ભરીને પાણીની સમસ્યાનો ભૂતકાળ બનાવી દીધી હતી પરંતુ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો હજુ પણ યોગ્ય સુવિધાના અભાવે પીવા અને સિંચાઈ માટેના પાણીની તંગીની બુમો સમયાંતરે ઉઠી હતી. ચાલુ વર્ષે રાજયભરમાં શ્રીકાર વરસાદ બાદ નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં આવેલા પાણીને સંગ્રહ કરવાની યોગ્ય માળખાકીય સુવિધાઓને અભાવે ડેમની ક્ષમતા કરતા ચાર ગણુ પાણી દરિયામાં વહી ગયું હતુ.

ગુજરાત સરકાર પાસે સરદાર સરોવર ડેમની ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ ક્ષમતા ભરેલા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા માટે પૂરતા કારણો છે, ત્યારે ડેમની સંગ્રહ ક્ષમતા કરતા ચાર ગણા પાણી સંગ્રહિત કરવાની પણ મોટી તક ગુમાવી દીધી છે. એક ઉત્તમ ચોમાસા પર સવારી કરીને, આ મહિનાની શરૂઆતમાં ૯૪૦૦ મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) નર્મદા ડેમની કુલ સંગ્રહ ક્ષમતા પ્રાપ્ત થઈ હતી. જોકે, આ સિઝનમાં ડેમના કુલ ૪૦,૦૦૦ એમસીએમ પાણીમાંથી ૩૦,૦૦૦ એમસીએમથી વધુ પાણી દરિયામાં વહી ગયું છે. નિષ્ણાતો કહે છે કે પાણીનો આ કચરો વધુ સારી રીતે આયોજન કરીને અને વધુ સંગ્રહ ક્ષમતા બનાવીને ઘટાડવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દાવો કરે છે કે સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ (સૌની) યોજના, સુજલામ-સુફલામ પ્રોજેક્ટ અને અન્ય નાના પ્રોજેક્ટના સ્વરૂપમાં ૩,૭૦૫ મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) જળ સંગ્રહ કરવાની ક્ષમતા છે.  પરંતુ આ ચોમાસામાં ૩,૭૦૫ એમસીએમની ક્ષમતાનો પણ પૂરો ઉપયોગ થયો નથી. સુત્રોએ ઉમેર્યું કે સૌની યોજના અને સુજલામ-સુફલામ યોજના દ્વારા હાલની મહત્તમ ક્ષમતા ૧,૨૩૫ એમસીએમ પાણી સંગ્રહ થઈ શકે છે.આ વર્ષે અપવાદરૂપે સારા ચોમાસા સાથે, રાજ્યની તેની જળ વ્યવસ્થાપન નીતિની સમીક્ષા કરવાનો સમય યોગ્ય છે. જો પાણીના સંગ્રહના પૂરતા વિકલ્પો વિકસિત કરવામાં આવ્યાં હોત, તો પાણી ફક્ત દરિયામાં વહેતા પાણીથી બચાવી શકાયું હોત. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષનો ચોમાસું ૩૦ વર્ષથી કાગળ પરના કલ્પસર પ્રોજેક્ટના શક્યતા અભ્યાસ માટે સરકાર માટે આંખ ખોલીને કામ કરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં માંગ-પુરવઠાના સમીકરણને ધ્યાનમાં રાખીને એક વ્યાપક પાણી વ્યવસ્થાપન નીતિ બનાવવી જોઈએ.

નર્મદા ડેમમાં આ વર્ષે ૪૦ હજાર એમસીએમ પાણી આવ્યું હતુ જેમાંથી ૩૦ હજાર એમસીએમ કરતા વધારે પાણી દરિયામાં વહીને વેડફાય ગયું હતુ તેના માટે કયાંક યોગ્ય માળખાકીય સુવિધાનો અભાવ, કયાંક નદી પર થયેલા દબાણો, કયાંક લોકોની બેદરકારી સહિતના સમસ્યાઓ જવાબદાર છે. શું આપણે દર વર્ષે સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવી પડશે. ગુજરાતમાં ત્રણ દાયકાથી પડતર કલ્પસર યોજના દ્વારા આ પાણીને સંગ્રહ શકયું હોત, રાજયની તમામ નદીડીને અમૂલ્ય પાવી શકાયું હોત, હાલમાં જે ડેમો છે તેની સંગ્રહક્ષમતા વધારીને પણ પાણીને બચાવી શકાયું હોત, ઉપરાંત નવા ડેમો બનાવીને પણ પાણીને સંગ્રહ શકાયુ હોત આમ, આપણા દેશમાં તમામ ક્ષેત્રે યોગ્ય માળખાકીય સુવિધાઓનો અભાવ હોય યોગ્ય આયોજનના અભાવે કુદરતે કરેલી મહેર વેડફાય જાય છે. ડુંગળીના પાકમાં દર વર્ષે ખેડુતોથી માંડીને ગ્રાહકો અને સરકારને રડાવે છે. તેમાં પણ માળખાકીય સુવિધાઓનો અભાવ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.