Abtak Media Google News

પાર્સલ મોકલવાની ના પાડતા ટ્રાવેલ્સ ધંધાર્થી સાથે ગાળા ગાળી કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી

મોરબીના ટ્રાવેલ્સ ધંધાર્થીએ પાર્સલ લેવાનીના પાડતા ૪ શખ્સોએ બેફામ વાણીવિલાસ કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રાવેલ્સના ધંધાર્થીએ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર-ધુનડા રોડ પર રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી તિલકેશભાઈ કનુભાઈ પંચાલ લાલપર પાસે આવેલી તેમની શતાબ્દી ટ્રાવેલ્સની ઓફીસે હતા. તે વેળાએ વડોદરાના પાર્સલો મોકલવાનીના પાડતા ઈકબાલભાઈ મહમદભાઈ બગડા, પ્રતિકભાઈ ગઢવી, ઈકબાલભાઈ હાજીભાઈ પલેજા અને સોયબ રહેમાનભાઈ જુણેજાએ ગાળા ગાળી કરીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ટ્રાવેલ્સ ધંધાર્થી તિલકેશભાઈ કનુભાઈ પંચાલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.