Abtak Media Google News

શહીદોને રાષ્ટ્રગાન સાથે શ્રધ્ધાંજલિ અર્પી જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાયો

દામનગર શહેર માં જળસંગ્રહ અભિયાન માટે સુરત ખાતે સમસ્ત દામનગર સમાજ બેઠક મળી કતારગામ  રામકથા રોડ પર અવસર ફાર્મ હાઉસ ખાતે સમસ્ત દામનગર સમાજ એકત્રિત થયો શહીદ દીને રાષ્ટ્રીય ગાન સાથે શહીદોને શ્રધાંજલિ આપી જળ સંગ્રહ અભિયાન ની બેઠક નો પ્રારંભ કરાયો હતો.

દામનગર શહેરના નદી તળાવ ચેકડેમ ઊંડા ઉતારી જળસંગ્રહ શક્તિ વધારવા જળસંગ્રહ અભિયાનમાં માદરે વતન માટે ઉદારહાથે સખાવત કરતા દાતાઓ ૫૦૦૦ કલાક હિટાચી મશીન ચાલે તેવુ આયોજન દામનગર શહેર ના જળસંગ્રહ અભિયાન માટે કુંભનાથ તળાવ ને દત્તક લેતા વતન પ્રેમી દાતા કરશનભાઈ ધનજીભાઈ નારોલા આપના હાથ જગન્નાથ એકલા કરશનભાઈ નારોલા પરિવારે કુંભનાથ તળાવ ઊંડું ઉતારવા ભુરખિયા રોડ ચેકડેમ ઠાંસા રોડ થી રાભડા રોડ વચ્ચે નવ નિર્મિત ચેકડેમ કરી જળસંગ્રહ શક્તિ વધારવાનું આયોજન કરાયું સ્વ. કલાવતીબેન ઇન્દ્રવદનભાઈ મહેતાની સ્મૃતિ માં સંદીપભાઈ મહેતા પરિવાર તરફ થી ૧.૧૧૧૧૧ નું દાન સુરત ને કર્મભૂમિ બનાવી નામદામ કમાયા તેવા અનેકો એ માદરે વતન માટે ઉદારહાથે સખાવત કરી દામનગર શહેર માં જળસંગ્રહ અભિયાન બેઠક માં ભગવાનભાઈ નારોલા કરશનભાઈ જાડા મોહનભાઈ બુધેલીયા આર. કે. નારોલા ડો. સ્નેહલ ડુંગરાણી ગોરધનભાઈ મેરુલિયા અનિલભાઈ ધોળકિયા સુરેશભાઈ મિયાણી ભીખુભાઈ મોટાણી સંજયભાઈ વિરડીયા ડો મહેશ ભાતિયા વિઠલભાઈ વાવડિયા ધીરુભાઈ જાડા સંજયભાઈ જાડા જયસુખભાઈ બુધેલીયા ઈશ્વરભાઈ નારોલા જાદવભાઈ નારોલા હરજીભાઈ એમ નારોલા ઓધડભાઈ ચભાડ ગોબરભાઈ નારોલા ધરમશીભાઇ નારોલા નરસીભાઈ બોખા ભરતભાઈ વાવડીયા નૌશાદભાઈ મોટાણી નાનુંભાઈ નારોલા ખીમજીભાઈ નારોલા મનસુખભાઈ બોખા સહિત અનેકો વતન પ્રેમીઓએ જળસંગ્રહ અભિયાન માં ‘જલ હૈ તો કલ હૈ નો’ નારો બુલંદ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાયર મનોજભાઈ ખેનીએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.