Abtak Media Google News

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ જસ્ટિસ પીએન ભગવતીનું 95 વર્ષની ઉમરે નિધન થયું છે. મૂળ ગુજરાતી જસ્ટિસ ભગવતીનું ભારતીય ન્યાય વ્યવસ્થામાં સૌથી મોટું યોગદાન જનહિત અરજી(PIL) છે. આમ લોકોને 1986માં પિયાઈએલનો અધિકારથી દેશની ન્યાયપાલિકાની તસવીર જ બદલી નાખી હતી. ન્યાયિક સક્રિયતાના યુગની શરૂઆત આહીથીજ થઈ હતી. જસ્ટિસ ભગવતી દેશના 17માં મુખ્ય ન્યાયાધીશ હતા અને તે જુલાઇ 1985થી 1986 સુધી ભારતના સૌથી ઊચા હોદ્દા પર રહ્યા હતા. પીએન ભગવતી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 1973માં તેને સુપ્રીમ કોર્ટમાં જજ માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.