Abtak Media Google News

બીસીસીઆઈનાં પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો આજે જન્મ દિવસ છે. સૌરાષ્ટ્રના ક્રિકેટને ઈન્ટરનેશનલ સ્તર સુધી પહોચાડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા નિરંજન શાહને આજે ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

નિરંજન શાહની બદોલત રાજકોટને ખંઢેરી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ મળ્યું છે. તેઓના લીધે રાજકોટમાં ૧૫ જેટલા ઈન્ટરનેશનલ મેચ પણ રમાયા છે.  જેમાં ૩ ટવેન્ટી-ટવેન્ટી બે ટેસ્ટ અને ૧૦ આઈપીએલ મેચોનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ શરૂ કરાવવામાંપણતેઓનું મુખ્ય યોગદાન રહ્યું છે. તેઓનામાર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રનાં રવિન્દ્ર જાડેજા, ચેતેશ્ર્વર પૂજારા અને જયદેવ ઉનડકટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચમકયા છે આમ સૌરાષ્ટ્રે ક્રિકેટ ક્ષેત્રે જે વિકાસ સાધ્યો છે તેમાં નિરંજન શાહનું અમૂલ્ય યોગદાન રહ્યું છે આજે તેમના મો.નં. ૯૮૨૪૦ ૨૩૨૬૮ ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે તેઓ હંમેશા નિરામય રહે અને ઉભરતા ક્રિકેટરોને સફળતાના શીખરોસર કરાવવા રહે તેવી ‘અબતક’ પરિવાર શુભેકામના પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.