Abtak Media Google News

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીએમએવાય હેઠળ બનનારી સ્માર્ટ ધર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ તારીખ: ૦૧-૦૭-૨૦૧૯ થી ૩૧-૦૭-૨૦૧૯ દરમ્યાન રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. (આઈસીઆઈસીઆઈ) બેન્કની તમામ શાખા પરથી કરવામાં આવશે, તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાતએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર ઈડબલ્યુએસ-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ. સી. આઈ. સી. આઈ. (આઈ સી આઈ સી આઈ) બેન્કની વિવિધ શાખાએથી તારીખ: ૦૧-૦૭-૨૦૧૯ થી ૩૧-૦૭-૨૦૧૯ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવવાના તથા ભરેલા અરજીપત્રકો પરત કરવાના રહેશે. ફોર્મની કિંમત રૂ.૧૦૦/- રહેશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારી આ આવાસમાં કુલ ૨૧૭૬ આવાસોનું બાંધકામ કરવામાં આવશે. દરેક આવાસની કીમત રૂપિયા ૦૩.૦૦ લાખ રાખવામાં આવી છે, જેમાં એક રૂમ, હોલ, કિચન, તથા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હશે, ઉપરાંત વધુમાં આકર્ષક એલીવેશન, વિશાલ પાર્કિંગ, અગ્નિ શમન તથા લીફ્ટની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ આવાસ માટે બેન્કો દ્વારા સરળતાથી લોન કરી આપવામાં આવશે તેમજ ૧૦૦ % દસ્તાવેજ કરી આપવામાં આવશે. આ આવાસ યોજનાના ફોર્મ માત્ર બેંક મારફત જ વિતરણ કરવામાં આવશે, તેમ પણ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

Form-Delivery-From-1St-July-For-Smart-Home-Accommodation-Scheme
form-delivery-from-1st-july-for-smart-home-accommodation-scheme

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.