Abtak Media Google News

નર્મદા નીર આજી ડેમ-૧ ખાતે આવતા નર્મદા નીરના વધામણા કરતા પદાધિકારીશ્રીઓ.

ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ શહેરને પાણીની મુશ્કેલી ન પડે તે માટે આજી-૧ને નર્મદા નીરથી ભરી દેવા માટે સૌની યોજના હેઠળ મચ્છુ-૧થી આજીડેમને જોડવામાં આવેલ છે.

સરકારશ્રી દ્વારા ત્રીજી વખત નર્મદા નીર આજીડેમ-૧માં છોડવામાં આવેલ નર્મદાના નીર આજીડેમ પહોંચ્યાનો હરખ કરવા અને તેના વધામણા કરવા માન. મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,  મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઇ આહીર, વગેરે મહાનુભાવોએ આજી ડેમની મુલાકાત લીધી હતી. અને આજીડેમમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.