Abtak Media Google News

૨૯ સપ્ટે. થી ૯ ઓકટો. દરમિયાન પારીજાત પાર્ટી પ્લોટ ખાતે રાસોત્સવ

પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને નામાંકિત કલાકારો ખલૈયાઓને ડોલાવશે નિ:શુલ્ક દાંડિયા કોચિંગ કલાસનું પણ આયોજન: વિવિધ સ્થળોએથી ફોર્મ વિતરણ શરૂ: જૈન શ્રેષ્ઠીઓ ‘અબતક’ના આંગણે

છેલ્લા ૩ વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે આયોજીત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેનો સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી બેનમુન આયોજન બનાવી આપેલ. સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ્ ટીમનાં આ આયોજનને બિરદાવેલ, સતત ચોથા વર્ષે જૈનમ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઈ રહ્યું છે. માં આદ્યશકિતની આરાધના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૨૯ સપ્ટેમ્બર થી તા.૭ ઓકટોબર ૨૦૧૯ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવનાર છે. વિસરાતા જતા સાંસ્કૃતિક વારસાને સાચવવા તથા બાળકોમાં ભકિત-શકિત અને પવિત્રતા ખીલે તથા વિકસે અને આપણા મુલ્યનિષ્ઠ ઉત્સવોને સાચી સમજણપૂર્વક માણતા-ઉજવતા શીખે તેવા અને જૈન સમાજમાં એકતા વધુ દ્રઢ બને તેવા ઉમદા ધ્યેય સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. નવલી નવરાત્રીને વધાવવા ખેલૈયાઓ થનગનતા હોય છે. નવરાત્રીનો સ્પીરીટ જ એવો હોય છે કે દરેક ઉંમરનાં લોકોને પગ થીરકાવાનું મન થઈ આવે. પણ આ બધુ ત્યારે જ શકય બને છે જયારે તમે ગ્રુપમાં જતા હોય, ગ્રુપ હોય તો જ તમને સિકયુરીટી અને લાઈક માઈન્ડેડ લોકોની કંપની મળતી હોય છે. આવું દરેક માટે શકય નથી હોતું. આ પ્રશ્ર્નનાં હલ સ્વરૂપે જૈનમ ટીમ દ્વારા સતત ચોથા વર્ષે પણ ફકત જૈનો માટે જ નવરાત્રી મહોત્સવનું એક વિશેષ આયોજન હાથધરી રહ્યું છે. આ નવરાત્રી કોમ્યુનિટી, કલ્ચર અને કલાસનો સમન્વય બની રહેશે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ રાજકોટનાં રાજમાર્ગ સમા ૨૪ કલાક ધમધમતા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રાજકોટનાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટનાં ૩ લાખ સ્કે.ફુટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાંજીદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જૈનમ દ્વારા પ્રખ્યાત સિંગરો પોતાના કંઠથી સમગ્ર જૈન સમાજનાં ખેલૈયાઓને ગરબાઓ ઉપર રમવા મજબુર કરી દેશે.

જયારે યુવાઓના હૈયાઓને ડોલાવવા જેબીએલ ૧ લાખ વોટની વર્ટેક્ષ સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે. નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની વેરાયટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજબરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ઉપરાંત નવરાત્રીનાં અંતમાં મેગા ફાઈનલમાં લાખેણા ઈનામો વિજેતાઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.  ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાયનાં મેમ્બર માટે ગ્રાઉન્ડમાં જ અલાયદી અને આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે.તો સાથો સાથ કોર્પોરેટ વર્લ્ડની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારે ડીઝાઈન કરેલ ગઝેબો પણ તૈયાર કરવામાં આવનાર છે.જેમાં સોફા ટાઈપ સીટીંગ વ્યવસ્થા તેમજ પધારેલ મહેમાનો માટે એટેડન્ટન્ટની વિશેષ સુવિધા પણ પુરી પાડવામાં આવનાર છે જે એક વિશેષ વાત છે.નવરાત્રી મહોત્સવનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર હોવાથી કોર્પોરેટ કંપનીઓ પણ પોતાની પ્રોડકટસનાં પ્રમોશન માટે પોતાનું સમર્થન આપી રહી છે જે આયોજનનાં સફળતાનું પહેલું જમાપાસું છે.

 

ખેલૈયાઓ અને યુવાઓની ખાસ ફરમાઈસને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં જ એક વિશિષ્ટ રીતે તૈયાર કરેલ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે. આ સેલ્ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે. આ સમગ્ર આયોજન જૈન સમાજનાં લોકો માટે થઈ રહ્યું છે ત્યારે નવ દિવસનાં વ્યકિત દીઠ માત્ર રૂા.૧૦૦૦નાં નજીવા દરે સીઝન પાસ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં નવ દિવસનાં ફુડ અને બેવરેજીસનાં કુપન પણ આપવામાં આવનાર છે. ઉપરાંત જૈન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ખાસ ઓફર પણ રાખવામાં આવી છે જેમાં ફકત રૂા.૫૦૦માં સીઝન પાસ આપવામાં આવશે અને સાથે નવ દિવસનાં ફુડ અને બેવરેજીસનાં કુપન પણ આપવામાં આવનાર છે. ભવ્યાતિભવ્ય આયોજન માટે જૈન શ્રેષ્ઠીઓ જીતુ કોઠારી, સુજીત ઉદાણી, મયુર શાહ, મેહુલ દામાણી, સેજલ કોઠારી, નિલેશ ભાલાણી, જયેશ મહેતા, તુષાર ધ્રુવે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જૈન સમાજનાં જે ભાઈ-બહેનોને દાંડીયારાસ નથી આવડતા અને શીખવા ઈચ્છે છે તે માટે પણ જૈનમ ટીમ દ્વારા નિષ્ણાંત કોચ દ્વારા નિ:શુલ્ક કોચીંગ કલાસનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ધૈર્ય પારેખ-રામકૃપા પાર્ટી પ્લોટ, જાશલ બિલ્ડીંગ બાજુમાં, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, કુમારભાઈ શાહ – ઉષા કિરણ એપાર્ટમેન્ટ, સરદારનગર મેઈન રોડ, જયેશભાઈ મહેતા – નેમીનાથ એન્ટરપ્રાઈઝ, જયનાથ કોમ્પ્લેક્ષની બાજુમાં, મકકમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ કાર્યરત છે. આ અંગેની વધુ માહિતી માટે ધૈર્ય પારેખ મો.૯૩૭૬૪ ૦૧૧૧૦ ઉપર સંપર્ક કરવો. આવા અદભુત આયોજનમાં સંપૂર્ણ પારિવારીક માહોલમાં જેએસજીઆઈએફ સૌરાષ્ટ્ર રીજીયન તથા રાજકોટનાં જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સિલ્વર, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન, સંગીની એલીટ જોડાનાર છે.

જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમના મધ્યસ્થ કાર્યાલય: તરૂણભાઈ કોઠારી, ડોકટર પ્લાઝા, કસ્તુરબા રોડ, જયુબીલી ગાર્ડન સામે, રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ શહેરનાં વિશાળ વિસ્તારને આવરી લેવા અલગ-અલગ જગ્યાએ ફોર્મ વિતરણ અને કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવનાર છે જેમાં તપસ્વી સ્કુલ, ૨-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, નિલેશભાઈ ભાલાણી- અંબાઆશ્રિત સારીઝ, દિવાનપરા મેઈન રોડ, જયેશભાઈ વસા-જૈન બ્રાઈટ સ્ટીલ, ભકિતનગર સર્કલ પાસ, જીતુભાઈ લાખાણી-હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઢેબર ચોક, ઉર્મિ એમ્પોરીયમ, ૨૨-સદગુરુ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, શિતલ જવેલર્સ, ૯-સીટી શોપ્સ, પી.પી.ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ, ભરતભાઈ દોશી, નેમીનાથ-વિતરાગ ઉપાશ્રય, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે કાર્યરત થયેલ છે. જયાંથી ખેલૈયાઓ પોતાના પાસ અંગેની તમામ પ્રક્રિયા સરળતાથી કરી શકશે. પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહિતી માટે જીતુ કોઠારી-૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી-૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા-૯૮૨૪૦ ૪૫૬૦૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.