Abtak Media Google News

સ્ટીલઓટો ફોર્જના સુજીતભાઈ પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે

હાલની સમસ્યા જે દેશ સામે ઉદભવીત થઈ છે. તેનાથી ઉદ્યોગોને ઘણીબધી રીતે અસર પહોચી છે. તેમના જણાવ્યુ મુજબ ઉદ્યોગકારો માટે આવનારો સમય અત્યંત સારો બની રહેશે.

Vlcsnap 2020 05 08 12H06M01S036

સરકારે લોકડાઉનમાં કંપનીઓ જે ખોલવાની છૂટ આપી પણ તેમાં મજૂરો જે વતન જવા તલપાપડ થઈ રહ્યા છે. અને જે મજૂરો વતન પરત થયા છે.તેઓથી ઉદ્યોગોને ઘણી અસરો પહોચશે.

રેગ્યુલર દિવસોમાં કંપની જે ઉત્પાદન કરતી હતી તેમાં સિધો જ ૬૦%નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોઈપણ કંપની તેમના સ્ટોક રાખવા હરહંમેશ પ્રેરીત થતી હોય છે. પરંતુ સામે રો-મટીરીયલ ઉદ્યોગ માટે અત્યંત જટીલ બન્યો છે.

સરકારજો પરિવહનને છૂટ આપશે તો રો મટીરીયલની પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. સ્ટોક પણ ઉદ્યોગકારો રાખી શકશે અને તેના ઉપયોગથી ઉત્પાદનને પણ મદદરૂ પ થઈ શકશે. હાલ જરૂ ર છે.

ત્યારે સરકારે નાણાંકીય રાહત પેકેજો કંપનીઓને આપે અને કંપનીઓ શરૂ  થાય અને ઉદ્યોગોને જે તરલતાનો પ્રશ્ર્ન થયો છે તે સોલ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.