Abtak Media Google News

ખોરાકની કિંમત અને ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો આવે છે: આ સમસ્યાને દૂર કરવા માટે લેવાયો નિર્ણય

636C69811C7Fe48E457F03Edc8224826ભારતીય રેલ્વેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ખોરાક એક મોટી સમસ્યા બની જાય છે. ખોરાકની કિંમત અને ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક મોટું પગલું લીધું છે. IRCTC લાઇવ સ્ટ્રીમિંગ મિકેનિઝમ વિકસાવ્યું છે, જેના દ્વારા પ્રવાસીઓ જોઈ શકશે કે કેવી રીતે ટ્રેનમાં આપવામાં આવતો ખોરાક તૈયાર કરવામાં આવે છે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે તાજેતરના સમીક્ષા બેઠકમાં આ સૂચના આપી હતી. IRCTC ના નિવેદન મુજબ, રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીએ બુધવારે IRCTC વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધા દ્વારા, IRCTC દ્વારા બનાવવામાં આવતું ખોરાકનું લાઈવ સ્ટ્રીમ કરશે. આવું કરવાથી પ્રવાસીઓને ખબર પડશે કે કેવી રીતે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેના પેકેજિંગની સુવિધા શું છે. આ વિડિઓઝની લિંક્સ IRCTC વેબસાઇટના ગેલેરી વિભાગમાં શેર કરવામાં આવશે. જ્યાં મુસાફરો સરળતાથી સમગ્ર પ્રક્રિયા જોઈ શક્શે. આ પહેલાં, લોહાનીએ નોટિસમાં IRCTC ના રસોડાની તપાસ કરવામાં આવી હતી. એક દિવસમાં રાજધાની જેવી ૧૭ ટ્રેનોમાં, શતાબ્દી અને દુરાન્તોમાં જેવી ટ્રેનોમાં ૧૦,૦૦૦ ખોરાકની વસ્તુઓ આપવામાં આવે છે. રસોડાના નિરીક્ષણ કર્યા પછી, લોહાનીએ તેમની પ્રશંસા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.