Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦ કોરોનાવાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે આ તમામ દર્દીઓને ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે ત્યારે આ ૩૦ દર્દીઓમાંથી દર્દીઓ સાજા ઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

ત્યારે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતેથી પાંચ જણાને ગઈકાલે કોરોનાની સારવાર લઈ રહેલ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા આજે રજા આપવામાં આવી છે જેમાં બે દર્દી રતનપરના અને અન્ય દર્દીઓ સાયલાના હતા ત્યારે આજે તેમને સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી છે.

ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતેથી નવ લોકોને કોરોના ને માત આપીને ઘર તરફ પરત ફર્યા છે તે જિલ્લા માટે સારી બાબત ગણી શકાય છે ત્યારે હજુપણ ૨૧ લોકો સારવાર ગાંધી હોસ્પિટલ ખાતે લઇ રહ્યા છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.