Abtak Media Google News

એચઆઇવીના દર્દીએ વિષપાન કરી કર્યો આપઘાત: બે યુવાનની ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

શહેરમાં ઝેરી દવા પી વૃધ્ધ સહિત બે અને ગળેફાંસો ખાઇ બે યુવાને આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પત્ની સાથે ઝઘડો થતા ફાયર બિગ્રેડના ડ્રાઇવર અને એચઆઇવી પોઝીટીવની બીમારીથી કંટાળીને વૃધ્ધે ઝેરી દવા પી જ્યારે ભગવતીપરા અને ભીમરાવનગરના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

ગોંડલ રોડ પર આવેલા વાવડી નજીક જય ભારત સોસાયટીમાં રહેતા મનસુખભાઇ કમાભાઇ સોંદરવા નામના ૫૫ વર્ષના પ્રૌઢને પત્ની સાથે ઝઘડો થતા ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. મૃતક ફાયર બિગ્રેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.

જ્યારે ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા ચામુંડાનગર શેરી નંબર ૪માં રહેતા ખુશાલભાઇ સાજનભાઇ સાગઠીયા નામના ૬૦ વર્ષના વૃધ્ધે એચઆઇવીની બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો છે.

ભીમરાવનગરમાં આવેલા નાગબાઇ ચોકમાં રહેતા મુન્નાભાઇ નામના ૩૦ વર્ષના યુવાને પોતાના ઘરે કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જ્યારે ભગવતીપરા પાસે સુખસાગર સોસાયટી શેરી નંબર ૫માં રહેતા ઇશ્વરભાઇ અ‚ણભાઇ શિંગાળા નામના ૨૫ વર્ષના યુવાને પંખાના હુક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાનું પોલીસમાં નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.