Abtak Media Google News

ખંભાત ખાતે કેમિકલ અને દવાની ફેક્ટરી ધરાવતા અગ્રણીના આપઘાતથી પરિવારમાં શોક

અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલા શાલિન બંગ્લામાં રહેતાં મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના મોટા ભાઇ ગૌતમભાઇ પટેલે ગઇકાલે ગળાફાંસો ખાઇ કરેલી આત્મહત્યા પાછળ તરેહ તરેહની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આપઘાત પાછળ નાણાકીંય તંગી કારણભૂત હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે. કેમિકલ અને દવા બનાવવાની ફેક્ટરી ધરાવતા અગ્રણીના આપઘાતથી પટેલ પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના ભાઇ ગૌતમભાઇ પટેલે પોતાના બંગ્લાના ઉપરના માળે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ પત્ની અને પુત્રોએ જોતા તેઓ અવાચક બની ગયા હતા. આપઘાતના બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા અમદાવાદ રૂરલ એસપી વિરેન્દ્ર યાદવના માર્ગ દર્શન હેઠળ ડીવાય.એસ.પી. કે.ટી.કામલીયાએ સઘન તપાસ હાથધરી છે.

પોલીસ ઘટના સ્થળેથી કોઇ સ્યુસાઇડ નોટ મળી ન હતી. તેઓને આણંદ જિલ્લાના ખંભાત ખાતે કેમિકલ અને ફાર્મા સ્યુટિકલ કંપની ધરાવતા હોવાનું તપાસમાં આવ્યું છે. પરિવારજનો પૂછપરછ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ગૌતમભાઇ પટેલ આર્થિક મુશ્કેલી અનુભવી હોવાની ચર્ચા થઇ રહી છે જો કે તેઓએ માનસિક સમસ્યાથી પિડીત હોવાનું પરિવારના કેટલાક સભ્યોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.