Abtak Media Google News

પાલીહિલ સ્થિત બંગલાના વિવાદનો નિવેડો આવી જતા કબજો મળી ગયો

સલા મેં તો સાહબ બન ગયા… અંતે સાયરા બાનુને દિલીપસાબના બંગલાની ચાવી મળી ગઈ પાલી હિલ પ્રોપર્ટીનો કબજો તેમને મળી ગયો છે. આ પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો.

સાયરાબાપુએ બંગલાની ચાવી સાથે તસવીર ખેંચાવી છે. તસવીરમાં જે બોર્ડ દેખાય છે. તેમાં ડેવલપર તરીકે બ્લેક રોઝનું નામ લખ્યું છે. આગળ લખ્યું છે કે આ પ્રોપર્ટી યુસુફખાન ઉર્ફે દિલીપકુમારની છે.

Djiyk Iueaa5Djeહિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા દિલીપકુમારની તબીયત નાદુરસ્ત છે. તેઓ સંપૂર્ણ આરામ ફરમાવી રહ્યા છે. કેટલાક સમયથી પાલીહિલ ખાતેની પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો હતો. તાજેતરમાં કોર્ટે દિલીપકુમારને અમુક રકમ ચૂકવવા પણ આદેશ આપ્યો હતો ત્યારબાદ આ વિવાદનો નિવેડો આવી ગયો હતો. હવે બંગલાનો કબજો દિલીપકુમાર અને સાયરાબાપુને મળી ગયો છે.

મુંબઈની રીઅલ એસ્ટેટ કંપની પારિજાત ડેવલપર્સ પ્રાઈવેટ લીમીટેડે દિલીપકુમારના પત્ની સાયરાબાનુને પાલીહિલ ખાતેનાં બંગલાની ચાવી સુપરત કરી હતી.

સાયરાબાનુએ ટિવટર પર ટિવટ કર્યુ હતુ કે આજ સાહબ બહોત ખૂશ હે તબિયત ભી કાફી બેહતર હે બહોત દિનો બાદ સાહબ કે ચહેરે પરથી ખૂશી.

તેમણે લખ્યું હતુ કે અમે મુંબઈ અદાલત, મુંબઈ પોલીસના આભારી છીએ. સાથોસાથ અમારા ચાહકોનાં પણ આભારી છીએ જેમણે અમારા માટે દુઆ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.