Abtak Media Google News

અનિલભાઈ ટી પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રીનું અવસાન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ સિવાય મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા કેમ્પસ ખાતે રાખવામાં આવ્યા હતા. બપોરે ખેરવા કેમ્પસથી તેમની અંતિમયાત્રા થશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્સરની ચાલતી હતી સારવાર

મહેસાણાના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે. અનિલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. જેઓની સારવાર ચાલતી હતી. એપોલો, ઝાયડ્સ અને અમેરિકામાં સારવાર કરાવી હતી. ત્યારે આજે વહેલી સવારે તેમનું નિધન થતા મહેસાણામાં શોકની લાગણી પ્રર્વતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.