Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરનાં શહીદ સૈનિક ઔરંગઝેબના પિતા પુલવામાં યોજાયલે ભાજપની નરેન્દ્ર મોદીની સભામાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ઔરંગઝેબ ગયા વર્ષે પુલવામાં આતંકવાદીઓની મૂઠભેડમાં શહીદ થયા હતા.

શૌર્યતાથી શહીદ થયેલા રાયફળ મેન ઔરંગઝેબના પિતા અને રાજોલીના રહેવાસી મોહમ્મદ હનીફ તેમના પૂર્વ આર્મી અધિકારી રીટાયર લેફટન જનરલ રાકેશ કુમાર સાથે ભાજપમા જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે શહીદ જવાનના પિતાએ કેસરીયો ખેંસ ધારણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે હું મારા પુત્ર જેવા તમામ શહીદોને અંજલી આપવા ભાજપના વિકાસ અભિયાનમાં અને આંતકવાદીઓને સબક શિખવાડવા રાષ્ટ્રસેવાના અભિગમ સાથે ભાજપમાં જોડાવ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.