રાજુલા ખાંભા જાફરાબાદ તાલુકાના ખેડુતોનું એક વિશાળ સંમેલન રાજુલા માર્કેટીંગ યાર્ડમાં યોજાયેલ હતું જેમાં રાજુલા ખાંભા અને જાફરાબાદના ખેડુતોને તાજેતરમાં સરકાર દ્વારા પાક વિમામાં થયેલ અન્યાય બાબતે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યો અમરીશ ડેર દ્વારા ન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવેલ હતો અને થયેલા ખેડુતોને અન્યાય બાબતે બીન રાજકીય સંમેલન બોલાવવામાં આવેલ હતુંજેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉ૫સ્થિત રહેલ હતા આ કિસાન સંમેલન બાદ રાજુલા માર્કેટીંગ યાર્ડથી નાયર કલેકટર કચેરી સુધી યોજી અને નાયબ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું જેમાં એવી માંગણી કરવામાં આવેલ હતી કે ખેડુતોને પાક વિમો તાત્કાલીક ચુકવવામાં અને પાક વિમો ફરજીયાત કાપવામાં ન આવે તેવી ઉગ્ર જોવા તો ખેડુતો અને ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કરવામાં આવેલ હતી
આ કિસાન સંમેલનમાં જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી તથા રાજુલાના કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામ અમરેલી જીલ્લા પ્રમુખ અને રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખના હાજર રહેલ હતા જેમાં ખેડુતોને થઇ રહેલ અત્યાય બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવેલ હતી અને આગામી દિવસોમાં જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનના મંડાણ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.