Abtak Media Google News

ઝેરી દવા પી કરી આત્મહત્યા

ઝાલાવાડ પંથકમાં બે માસમાં બે ખેડુતોએ ભોગ લીધો

સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી ના સરલા ગામે ઉધડ ઉપર જમીન વવતા અને પાક નિષ્ફળ જતા ખેડૂતે જેરી દવા પી લઈ ને આત્મ હત્યા કરી સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકો ને અસર ગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે છતાં હજુ સુધી ખેડૂતો ને અને માલધારીઓ ને લાભ મળવો જોઈએ તે મળતો નથી

ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી ના સરલા ગામે ઉધડ ઉપર જમીન વાવતા અને પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી હતી. પીંતાબરભાઈ મંગાભાઈ ઝાલા રે. સરલા તા. મુળી ઉંમર ૩૫  ને જેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું ત્યારે તેમને પીએમ માટે મૂળી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો અને પશુ પાલકો ની સ્થિતિ અત્યંત વિકટ બની છે.ત્યારે ત્યારે આ વર્ષે ઝાલાવાડ પંથક મા ૭ તાલુકા ઓ મા તો ૧૨૫ મીમી કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા નર્મદા ની કેનાલો છે પણ તેમાં પણ પાણી સરકાર દ્વારા આપવા મા આવતું નથી રોજ અલગ અલગ તાલુકાઓ મા સરકાર સામે સૂત્રોચાર કરી ખેડૂતો દવારા વિરોધ નોંધાવવા મા આવી રહો છે.અને જે સુરેન્દ્રનગર જિલ્લા ની કેનાલ મા પાણી આપે તેમાં ગાબડાં ઓ પડી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ત્યારે ઝાલાવાડ પંથક મા ૨ માસ મા ૨ ખેડૂતો એ પોતાનો પાક અને પોતાના પર દેવું વધી જતાં આત્મ હત્યા કરી લીધી છે ત્યારે આગામી સમયમાં શું સરકાર દ્વારા ખેડૂતો ના હિત મા નિર્ણય લેવા મા આવશે કે કેમ તેવી આશાઓ ખેડૂતો રાખી ને બેઠા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.