Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વયમર્યાદાને કારણે નિવૃત થનાર કર્મચારીઓની નિવૃતિ વિદાય સમારંભનો કાર્યક્રમ કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ૧૨ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી. સેવા નિવૃત કર્મચારીઓમાં આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડી.કે.ઠકકર, બાંધકામ વિભાગના નાયબ એન્જીનીયર એન.બી.સિણોજીયા, એન.બી.પટેલ, જી.એન.વણકર, એન.એન.ઝાલા, આર.એચ.મહેતા, કે.બી.ચૌહાણ, વાય.કે.વ્યાસ, સી.જે.કારીયા, બી.એમ.પરમાર, ડી.એમ.વાઘેલા, બી.કે.વાઘેલાને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કાર્યકારી રજી.ધિરેન ભાઈ પંડયા, વરીષ્ઠ સિન્ડીકેટ સભ્ય ગીરીશભાઈ ભિમાણી, મનીષભાઈ ધામેચાએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે આસી.રજી.રમેશભાઈ પરમાર, કર્મચારી મંડળીના જે.વી.શેરસીયા, વિરલભાઈ પરમાર સહિત યુનિ.ની વિવિધ મંડળીના હોદેદારો દ્વારા મોમેન્ટો આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.