Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧ થી ૯માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ નંબર ૭માં અમદાવાદની જેમજ આજી રિવરફ્રન્ટ જલ્દી બને તેવી આશા છે: હર્ષિલ શાહ (રાઇઝિંગ ઇન્ડિયા ગ્રુપ)

Vlcsnap 2021 01 27 09H31M01S676
રાજકોટના સેવાકીય યુવાનોના ગ્રુપ રાઇઝિંગ ઇન્ડિયાના સભ્ય હર્ષિલ શાહે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વોર્ડમાં રહેવાસીઓ નગરસેવકોના કામોને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે છે.અમદાવાદમાં રિવરફ્રન્ટ છે તે જ પ્રકારે આજી રિવરફ્રન્ટ મળશે ત્યારે આ વોર્ડ ની રોનક જ કંઈક અલગ હશે. રામનાથ દાદા મંદિર માટે અનેક વાર ડિઝાઇન ફરી પરંતુ દાદા ની ઈચ્છા મુજબ જ મંદિરનું કામ થશે તેવી નગર સેવકો પાસે આશા છે. ડી.આઈ પાઇપ લાઇનને કારણે પાણી પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે.જુના રાજકોટની ટ્રાફિક સમસ્યા ની વાત કરીએ તો એ રોડ જ સાંકડા છે. તંત્ર સાથે મળીને નગર સેવકો વાહનો પાર્ક કરવાની સારી વ્યવસ્થા ગોઠવી આપે તેવી આશા છે. રૈયા નાકા ટાવર અને બેડી નાકા ટાવર દ્વારા આગવી ઓળખ પ્રસ્થાપિત થાય તેવી પણ આશા છે. તમામ નગર સેવકોનો સંપર્ક વોર્ડમાં ખુબજ સારો છે.

વોર્ડ ૭માં આવેલ જુના રાજકોટને નવી ઓળખ મળવી જોઈએ: અશ્ર્વિનભાઈ પુજારા (અરિહંત ડેવલોપર્સ)

Vlcsnap 2021 01 27 09H31M14S105
જાણીતા બિલ્ડર અશ્વિનભાઈ પુજારાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વોર્ડ ૭ માં કામ કરે તેવા નગર સેવકો પર અમે વિશ્વાસ મૂકીએ છીએ. જો વાત કરીએ કોંગ્રેસ પક્ષના નગર સેવકોની તો તેઓના કોન્ટેકટ પણ અમારી પાસે નથી. ભાજપના તમામ નગર સેવકોને અડધી રાત્રે પણ સંપર્ક કરતા હાજર રહી કોઈપણ પરિસ્થિતિમાં મદદે આવે છે. કોંગ્રેસનું એક પણ કાર્યાલય આ વોર્ડમાં નથી તો લોકો તેમના પર ભરોસો કઈ રીતે મૂકે? સૌથી વધુ વરસાદ આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક લોકોને ઘર ખાલી કરાવવાથી માંડી તમામ રીતે લોકોની મદદે છેલ્લી ટર્મના નગર સેવકો સાથેજ રહ્યા છે. વોર્ડ ૭માં અનેક વિકાસ કર્યો થઈ રહ્યા છે ભવિષ્યમાં નગર સેવકો પાસે જુના રાજકોટને અનોખી ઓળખ મળે તેમજ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીનો નિકાલ ઝડપથી થાય તેવી સુંદર વ્યવસ્થા કરી આપે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.