Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર સિસ્ટમનાં એક કે બે વિષયમાં નાપાસ રીપીટર વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવામાં આવી છે જેના અનુસંધાને સેમેસ્ટર સિસ્ટમ મુજબ અંદાજીત ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આગામી તા.૧૧,૧૨ અને ૧૩મી જુલાઈએ પુરક પરીક્ષા આપવાનું આયોજન કર્યું છે.

મળતી માહિતી મુજબ માર્ચ-૨૦૧૯માં લેવામાં આવેલી જીએસઈબીની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર પઘ્ધતિમાં એક કે બે વિષયમાં નાપાસ કે ગેરહાજર રહેવાનાં કારણે પણ નાપાસ સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર-૪નાં વિદ્યાર્થીઓને જુલાઈમાં યોજાનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓની જિલ્લા મુજબની યાદી જિલ્લા શિક્ષણાધિકારીને રજુ કરવાની રહેશે. સેમેસ્ટર સિસ્ટમ મુજબ અંદાજે ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેઓ આગામી તા.૧૧, ૧૨ અને ૧૩મી જુલાઈએ પુરક પરીક્ષા આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.