Abtak Media Google News

કાયદો વ્યવસ્થા સંભાળવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકો બન્યા અસલામત

ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના ટેકરીચોક વિસ્તારમાં પલંગમાં સુઇ રહેલા મામાને તેમના ભાણેજે ધોકાના ધા મારી તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે છ દિવસમાં હત્યાના આ પાંચો બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના ટેકરી ચોક વિસ્તારમાં ઘરમાં સુતેલા જેન્તીભાઇ સોમાભાઇ કરખડીયાને તેના જ ભાણેજ અરવિંદભાઇ મંગાભાઇ ઇશનપોરિયા એ કોઇ કારણોસર ઉશ્કેરાટમાં આવી જઇ અને માથાના ભાગે ધોકા વડે હુમલો કરતા પલંગમાં સુઇ રહેલા જેન્તીભાઇ નીચે લાદી પર ઢળી પડયા હતા. માથાના ભાગે ધોકા વડે હુમલા ને લઇ લોહીથી લથપથ હાલતમાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. આ બનાવના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને લોકના મોટી સંખ્યામાં ટોળા પણ ત્યાં ઉમટી પડયા હતા.

પોલીસે લાશને પીએમ માટે ખસેડી હત્યારા ભાણેજ ને ઝડપી લેવા ચકોગતિમાન કર્યા છે અને તે પોલીસના હાથવેત માં હોય તેમ જાણવા મળી રહ્યું છે.હત્યારો અરવિંદ ભારે તામસી પ્રકૃતિ ધરાવતો હોય અને ભૂતકાળમાં તેેણે તેની માતાને પણ છરીના ઘા ઝીંકી દીધા હોય તેમ જાણવા મળી રહ્યું છે. અરવિંદભાઇ અગાઉ વિદેશમાં રહેતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.