રાજકોટના સરધારમાં વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલીયા મુલ્લા મામુજી પીર સાહેબનો ઉર્ષ મુબારક આજે શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધી ઉર્ષ મુબારક ઉજવાશે. રાજકોટ-જસદણ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-ગામોમાંથી ઈજાર સાયા કુર્તા અને જાતજાતની ભાતભાતની રંગબેરંગી રીદાઓ જેવા ફાતેમી સ્ટાઈલ ડિઝાઈનવાળા વસ્ત્રોમાં બહોળી સંખ્યામાં દાઉદી વ્હોરા ભાઈ-બહેનો અને બાળકો સરધાર ગામે આવી તેમના મઝાર શરીફમાં મામુજી પીરને પુષ્પાંજલી અર્પણ કરશે. આયોજકોએ આ વર્ષે ઠંડીને ધ્યાને રાખી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરી છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આવનારા તમામ ભાવિકોની પાણીથી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે. બારેમાસ રૂમ અને ભોજનની પણ સુવિધા વિનામુલ્યે અપાઈ એવો બંદોબસ્ત કરેલ છે. આ ઉર્ષ નિમિતે બે દિવસ કુઆર્ન ખ્વાની દરેશ, મજલીશ ન્યાઝ, શંદલ શરીફ માતમ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોથી આ ઉર્ષ મુબારક અવસર ગુંથાયેલો રહેશે. જેમાં બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઉમટી પડી મામુજી સાહેબને યાદ કરી આંસુની અંજલી પાઠવશે.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા