Abtak Media Google News

આરોગ્ય સેતુ એપ પર નાગરિકોની ખાનગી માહિતીની ગોપનીયતા નહીં જાળવવાના કેસ મામલે કર્ણાટક હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય

કર્ણાટક હાઇકોર્ટે ભારત સરકાર અને રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર (એનઆઈસી) ને આરોગ્ય સેતુ એપ્લિકેશનના વપરાશકારોના પ્રતિભાવ ડેટાને શેર કરવાથી અટકાવવાના વચગાળાના આદેશમાં અવલોકન કર્યું છે કે, નાગરિકોની સંમતિ વિના સ્વાસ્થ્ય ડેટા શેર કરવાથી ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ વિશ્વજીત શેટ્ટી ની ખંડપીઠે નોંધ્યું હતું કે નાગરિકના સ્વાસ્થ્ય ને લગતા ડેટા તેમની સંમતિ વિના ’વહેંચવા’ કરવાએ રાઈટ ટુ પ્રાઇવસીની જોગવાઈઓના ઉલ્લંઘન સમાન છે.

સાયબર સિક્યુરિટી એક્ટિવિસ્ટ અનિવાર અરવિંદ દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મા નોંધવામાં આવ્યું છે કે, કોઈ પણ નાગરિકના ખાનગી ડેટા કોઈપણ કારણોસર સંમતિ વિના કોઈ સાથે વહેંચી શકાય નહીં. આરોગ્ય સેતુ એપ માં આ પ્રકારે જ લોકોની આરોગ્યલક્ષી માહિતીઓ તેમની મંજૂરી વિના જાહેર કરી દેવામાં આવે છે, લોકોની ખાનગી માહિતી જાહેર કરવા સ્વૈચ્છિક હોવા જોઈએ.

અરજદાર તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ કોલિન ગોન્સાલ્વેસે ન્યાયાધીશ કે.એસ.ના મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ભારે વિશ્વાસ મૂક્યો હતો.  તેમણે સરકારના વિવિધ સરકારી વિભાગો અને જાહેર આરોગ્ય સંસ્થાઓ સાથે એનઆઈસી દ્વારા વ્યક્તિગત ડેટા ધરાવતા પ્રતિભાવ ડેટાની વહેંચણી સંબંધિત જોગવાઈ તરફ ધ્યાન દોર્યું હતું.  વધુમાં તેમણે રજૂઆત કરી કે એકત્રિત ડેટા માટે કોઈ ચોક્કસ કલમ નથી.  જ્યાં સુધી ભારતમાં કોવિડ – ૧૯ રોગચાળા યથાવત રહે ત્યાં સુધી આ પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યાના સમયથી છ મહિના માટે અમલમાં રહેશે.

એડિશનલ સોલિસિટર જનરલ એમ બી નારગુંડે કહ્યું હતું કે, અરજદાર સેતુ એપના વપરાશકારોના તમામ અંગત ડેટા શેર કરેલા અરજદારના દાવાનો કોઈ પાયો નથી, કારણ કે, બધા  જ સેફગાર્ડ્સ આપવામાં આવ્યા છે.

તેમણે સબમિટ કર્યું હતું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન એ એક મહત્વપૂર્ણ સાધન છે જે કોરોના સંક્રમિત લોકો અંગેની માહિતી પૂર્ણ પાડે છે. કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરેલા વધારાના એફિડેવિટની તપાસ કરી હતી જે એમ્પાવર્ડ ગ્રુપ ઓણ ટેકનોલોજી એન્ડ ડેટા મેનેજમેન્ટના ચેરમેન દ્વારા ૧૧મી મેં ૨૦૨૦ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય સેતુ એપના ડેટા એક્સેસ અંશ નોલેજ શેરિંગ પ્રોટોકોલ અંગે નોંધ મુકવામાં આવી હતી. એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે કે, એપ ફક્ત એવા પ્રકારની માહિતીઓ જ કલેક્ટ કરે છે જે કોરોના સંક્રમણ ફેલાય નહીં તેના માટે જરૂરી હોય. ઉપરાંત જે લોકોના માહિતીઓ એકત્રિત કરવામાં આવે છે તેની ગોપનીયતા જળવાય તેનું ધ્યાન પણ રાખવામાં આવે છે.

એમ્પાવર્ડ ગ્રુપની ભૂમિકા સમસ્યાઓ,  મુશ્કેલીઓ ઓળખીને ઉકેલો શોધવા, આકસ્મિક યોજના ઘડવી વગેરેની છે.

તે બતાવવા માટે રેકોર્ડમાં કંઈ નથી. ગ્રુપના ચેયરપર્સનને કોઈ પણ ઓર્ડર પસાર કરવાની સત્તા આપવામાં આવી છે, જેનું બંધનકર્તા અસર પડશે. કોર્ટે ઉમેર્યું હતું કે, એફિડેવિટમાં એવો ઉલ્લેખ ક્યાંય પણ કરાયો નથી કે, ગ્રુપને કોઈ પણ ઓર્ડર પાસ કરવાની સત્તા આપવામાં આવી છે કે કેમ ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ – ૨૦૦૫ મુજબની જોગવાઈઓ અનુસાર ગ્રુપને કોઈ સતા આપવામાં આવી છે કે કેમ ? તે અંગે પણ સ્પષ્ટતા કરાઈ નથી.

ખંડપીઠે નોંધ્યું હતું કે, પ્રોટોકોલની કલમ – એ સ્પષ્ટપણે જણાવે છે કે, એનઆઈસી દ્વારા કોઈપણ પ્રતિભાવ ડેટા અને તે હેતુ જેના માટે તે એકત્રિત કરવામાં આવે છે તે સ્પષ્ટ રીતે આરોગ્ય સેતુ એપ્લિકેશનની ગોપનીયતા નીતિમાં સ્પષ્ટ કરવામાં આવશે.  એપ્લિકેશન પર ગોપનીયતા નીતિનો પ્રતીક ઉપલબ્ધ છે. જે દર્શાવે છે કે, એનઆઈસી દ્વારા પ્રતિસાદ ડેટાના સંગ્રહ હેતુ માટે તેમાં કોઈ સંકળાયેલ સંદર્ભ નથી.

પ્રોટોકોલની કલમ – એ તેમાં ઉલ્લેખિત કંપનીઓ સાથે એનઆઈસી દ્વારા ડેટા શેર કરવાની મંજૂરી આપે છે.  ઉક્ત સંસ્થાઓ રાજ્ય સરકાર, જાહેર આરોગ્ય સંસ્થાઓ વગેરે છે પરંતુ ગુપ્તતા નીતિ કહે છે કે, ડેટા ફક્ત ભારત સરકાર સાથે વહેંચવામાં આવશે.  કલમ ૮ મુજબ એનઆઈસીને તૃતીય પક્ષો સાથે સંશોધન હેતુઓ માટેના પ્રતિભાવ ડેટાને શેર કરવાની મંજૂરી અપાઈ છે.  તે નોંધવું યોગ્ય છે કે, એપ્લિકેશન પર જ પ્રાઈવેસી પોલિસી અથવા સેવાની શરતોમાં ઉપરોક્ત કલમો ૫,૬ અને ૮ને  કોઈ સંદર્ભ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.