તાજેતર માં અત્રે રાજકોટ ખાતે વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની ઈએનટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો આવ્યો. મયુરભાઈ બારસિયા કે જેઓ રાજકોટ ના વતની છે તેમનો ૧૦ મહિના નો પુત્ર ભવ્ય બારસિયા સાત દિવસ અગાઉ તે ઘરે રમતા રમતા શીંગ નો દાણો ગળી ગયો હતો અને ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઉધરસ અને કફ થઇ જતા સ્થાનિક દવાઓ કરાવી હતી પરંતુ ફરક ન જણતા તેઓ ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કર ને બતાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડયું કે તેની શ્વાસનળીમાં ડાબી બાજુ છેક ફેફસા ની નજીક કંઈક ફસાયેલ હતું. ડો હિમાંશુ ઠક્કરે સંપૂર્ણ તપાસ કરી બાળકને ઓપરેશન થીએટરમાં લઇ દૂરબીન વડે ગણત્રી ની મિનિટો માંજ સાત દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર ૧૦ મહીના જ હતી તેની શ્વાસનળી ખુબજ સાંકળી અને નાજુક હોય એવી પરિસ્થિતિમાં જો કોઈક વસ્તુ તેમાં ફસાય જાય ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થઇ જાય છે. ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ પૂર્વક સફળતા થી દૂરબીન વડે ૭ દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો દૂરબીન વડે કાઢી આપી બાળકને નવજીવન આપ્યું.આ તબક્કે દર્દીના પિતા મયુરભાઈ બારસિયા એ હૃદયપૂર્વક ડો ઠક્કર નો આભાર માન્યો હતો.
Trending
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’
- વિધાનસભા બાદ લોકસભામાં હવે રૂપાલા-ધાનાણી આમને સામને
- ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બોર્નવીટા, જાણો તેની સરળ રેસીપી
- ઇઝરાયેલ ઈરાન વચ્ચેની તંગ દીલી વિશ્વ સમાજ માટે “ચિંતા” વિષય
- ઉનાળામાં વધુ તાપી જતાં મોબાઇલને ઠંડો રાખવા માટે આવું છે આ સાધન
- પ્રથમ તબક્કાના મતદાનમાં બપોર સુધી ધીંગુ મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ 53 ટકા મતદાન
- શાપર-વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો: રાજકોટ સુધી ઝણઝણાટી અનુભવાય