Abtak Media Google News

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ડભોલી સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા મધુરમ પ્લાઝામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઉપરના બે માળમાં લાગેલી પ્રચંડ આગને કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગથી ફેલાયેલા ભયના કારણે સમગ્ર કોમ્પેલ્કસ ખાલી કરાવવામાં આવ્યું હતું.

આ વિશે મળતી માહિતી અનુસાર, સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા મધુરમ પ્લાઝામાં લાગેલી આગ ધીમે ધીમે વિકરાળ રૂપ ઘારણ કરી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગ ઉપર કાબુ લેવા માટે ફાયરબ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી. સદ્દનસીબે આગના બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.