Abtak Media Google News

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદ ઉલ ફીતરની ઉજવણી કરાઈ હતી. વિશ્વભરમાંનાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ‚ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) મુંબઈ ખાતે બદરી મસ્જીદમાં ઈદની નમાઝ પઢાવેલ હતી.

B029B56B 6306 40Ba B5Ff 4518361C28Eb
પવિત્ર રમઝાન માસમાં ઈબાદત, રોજા કરીને ખુદાતઆલા પાસે દુઆઓ કરેલ હતી.  રાજકોટ નુરમસ્જીદમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબે ઈદની નમાઝ પઢાવેલ હતી. તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, ભાવનગર, મહુવા, જસદણ, ગારીયાધાર, પોરબંદર, જૂનાગઢ, ધોરાજી, પાલીતાણા, ઉપલેટા વિ.વિશ્વભરમાં દરેક ગામમાં ઈદની નમાઝ પઢીને એક બીજાને ઈદની મુબારક બાદીની આપલે કરેલ હતી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાલાએ જણાવ્યું હતુ.C772E117 C904 4100 97C5 E05526087503

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.