Abtak Media Google News

અમરેલી, માંગરોળ, ગોંડલ અને ધોળાવીરામાં ૧થી લઈ ૨.૨ની તીવ્રતાના આંચકા અનુભવાયા

સૌરાષ્ટ્ર-કરછમાં ભૂકંપના આંચકા આવવાનો શીલશીલો યથાવત છે ત્યારે ગઈકાલ બપોરથી આજ સવાર સુધીમાં ૪ આંચકાઓ અનુભવાયા હતા. અમરેલી, માંગરોળ, ગોંડલ અને ધોળાવીરામાં ૧થી લઈ ૨.૨ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે ૧:૧૮ કલાકે અમરેલીથી ૩૫ કિમી દૂર ૧.૦ રિકટર સ્કેલનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાતે ૧૦:૨૪ કલાકે માંગરોળથી ૩૩ કિમી દૂર ૨.૨ રિકટર સ્કેલનો આંચકો સાઉથ વેસ્ટ સાઉથ ખાતે નોંધાયો હતો. મોડી રાતે ૩:૨૨ વાગ્યે કચ્છના ધોળાવીરાથી ૨૪ કિમી દૂર ૨.૦ રિકટર સ્કેલનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો અને આજે વહેલી સવારે ૪:૦૫ કલાકે ગોંડલથી ૧૯ કિમી દૂર ૧.૭ રિકટર સ્કેલનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે જો કે આંચકા હળવા હોય કોઈ જનહાનીના સમાચાર પ્રાપ્ત થાય નથી અને વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર આ આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.