Abtak Media Google News

સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ સાધના એવમ્ આગમન વાચના

આત્માના અતલ ઊંડાણી પરમ જ્ઞાનનું પ્રાગટ્ય કરીને હજારો આત્માઓને સત્યનો બોધ પમાડી રહેલા રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મનાદે ચાલી રહેલી ૨૧ દિવસીય ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ સાધનાના તૃતીય રવિવારે દિવ્ય જપ સાધના તેમજ આગમ વાંચનાના કાર્યક્રમનું આયોજન સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી રાજકોટના  રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ સી. એમ.  પૌષધશાળાના આંગણે કરવામાં આવ્યું છે.

ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. આદિ ૬ સંતો તેમજ વિશાળસંખ્યામાં પૂ.સાધ્વી વૃંદની ઉપસ્થિતિમાં આ અવસર આયોજિત કરવામાં આવ્યો છે. દિવ્ય જપ સાધના તા રાષ્ટ્રસંત પૂ.ના મુખેથી અત્યંતઆત્મહિતકારી આગમ વાંચનાનું શ્રવણ આવતીકાલે રવિવાર સવારના ૯:૦૦ થી ૧૦:૩૦ કરાવવામાં આવશે. જે અંતર્ગત પ્રભુના મુખેથી પ્રગટ યેલા સત્ય વચનો અને આગમ ગાાની ઊંડાણ ભરી સમજ સો તેમાં સમાયેલાં પરમ જ્ઞાનના રહસ્યોને ઉદ્ઘાટિત કરવામાં આવશે.

૨૧ દિવસીય આ અમૂલ્ય આગમ વાંચનામાં જોડાઈને રાજકોટના અનેક  ભાવિકો દરરોજ સત્યનું અમૃતપાન કરીને ધન્ય બની રહ્યા છે.આગમ વાંચનમાં જોડાઈને પ્રભુના એક એક અંતરંગ ભાવોને સમજવા માટેના આ અપૂર્વ યોગમાં જોડાઈને જ્ઞાન આરાધના કરવા માટે શ્રી સમસ્ત રાજકોટના ભાવિકોને શ્રી રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ, સી. એમ. પૌષધશાળા, ૨/૮, રોયલપાર્ક, ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ.સા. માર્ગ, જી.ટી. રોડ સ્કૂલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પધારવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.