Abtak Media Google News

માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલથી શ‚ થનાર એચ.એસ.સી. તેમજ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા ચાલુ થનાર હોય તેમને લઈને જુનાગઢ રેન્જ આઈ.જી.પી.સુભાષ ત્રિવેદી અને જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘની સુચનાથી કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી દ્વારા માણાવદર સ્કુલ સંચાલકોની માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એક મીટીંગ બોલાવી અને કાલે ચાલુ થનાર પરીક્ષા શાંતિપૂર્ણ અને ભયમુકત થાય અને બહાર થતી ચોરી તદન ડામી દેવામાં આવશે.

ગઢવી દ્વારા માણાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર વાજા અને પોલીસ સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે કે સ્કુલની આજુબાજુમાં કોઈપણ વ્યકિત ફરકવો જોઈએ નહીં અને બહારથી પરીક્ષાલક્ષી સાહિત્ય અંદર જાય નહીં તેની ખાસ કાળજી રાખવી તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.