દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ પર વિરમભા આશાભા ટ્રસ્ટ દ્વારા નંદી શાળા ગૌશાળા ખાતે દ્વારકાધીશ જગતમંદીરના શિખર પર નૂતન ઘ્વજારોહણ માટે પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર માં કનકેશ્ર્વરી દેવીજીની ઉ૫સ્થિતિમાં ઘ્વજાજીનું પુજન કર્યા બાદ માતાજીના વરદહસ્તે ગૌશાળાના શીલાપુજન કર્યા બાદ પબુભા માણેક દ્વારા શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં રહેવાનો લહાવો મળવા બદલ ઠાકોરજીનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કરી શ્રીકૃષ્ણના દ્વારિકાના રાજ વખતની દ્વારિકા જેમ સોનાની હતી તેમ ફરીવાર દ્વારકાના દ્વારિકાધીશ મંદીરને ફરીથી સુવર્ણ જડિત કરવા અંગે સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે કનકેશ્વરી દેવીએ પણ તેમને આ શુભસંકલ્પમાં સફળતા મળે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….