Abtak Media Google News

સહમંત્રી -ખજાનચી બીન હરીફ ચૂંટાયા

દ્વારકા બાર એસોસીએશનની વર્ષ ૨૦૧૮ની યોજેલ સામાન્ય ચૂંટણીમાં એડવોકેટ સંજયભાઈ રાયઠઠ્ઠાની પેનલનો સતત ત્રીજી વખત વિજય થયો છે. કુલ ૮૩ એડવોકેટ પૈકી ૭૩ એડવોકેટસ દ્વારા થયેલ વોટીંગમાં પ્રમુખ પદે સંજયભાઈ રાયઠઠ્ઠાનો ૪૦ મત અવિશ્વ ભાઈપાબારી ૨૯ મત સામે વિજય થયો હતા.

સંજયભાઈનો આ સાથે સતત ત્રીજી વખત વિજય થયો હતો. ઉપપ્રમુખ પદે કિરણભાઈ માંગલીયા ૩૬ મત નો જયેન્દ્રભાઈ ચોકસી ૩૩ મત સામે વિજય થયો હતો. મંત્રી પદે સલીમ ધાવડાનો ૩૮ મતનો મહેન્દ્રસિંહ જાડેજા ૩૦ મત સામે વિજય થયો હતો. આ સાથે સુનિલભાઈ જોશીનો સહમંત્રી પદે તથા ખજાનચી પદે વિજયભાઈ વિઠ્ઠલાણીનો બિનહરીફ વિજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.