Abtak Media Google News

ધૂળેટીની રાત્રે સ્મશાન નજીક લઈ જઈ ત્રણ શખ્સોએ ઢીમ ઢાળી દીધુ

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે પ્રેમ પ્રકરણના કારણે ધૂળેટીની રાત્રે પ્રૌઢનું અપહરણ કરી સ્મશાન નજીક લઈ જઈ લાકડીથી હુમલો કરી ત્રણ શખ્સોએ ઢીમ ઢાળી દીધાનું પોલીસમાં ફરિયાદ નોંધાવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ધોળાદ્રી ગામે રહેતા માધાભાઈ ડોળાસીયાની તેના જ ગામના માલા બારૈયા, મનસુખ માલા અને તેના પિતા માલા પુના નામના શખ્સોએ લાકડીથી હુમલો કરી હત્યા કર્યાની કાળાભાઈ ગીગાભાઈએ નાગેશ્ર્વરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક માધાભાઈ દિકરી દેવુનું એક જ માસ પહેલા તેના ગામના ભીમો સોલંકી ભગાડી ગયો ત્યારે જગદીશ બારૈયાએ બનેને ભાગી જવામાં મદદ કરી હોવાથી માધાભાઈ સાથે અદાવત ચાલતી હતી. પ્રેમ પ્રકરણમાં ચાલતી અદાવતના કારણે જગદીશ તેના ભાઈ અને પિતાએ મળીને દેવુના પિતા માધાભાઈની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પીએસઆઈ એસ.આર.મેઘાણી સહિતના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.