Abtak Media Google News

અન્નનળી અને ગોઠણના દુ:ખાવાથી આત્મઘાતી પગલુ ભર્યાનું ખુલ્યું: પરિવારમાં શોક

શહેરની મધ્યમાં આવેલા જયુબેલી ગાર્ડનમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી જાત જલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ શામજીભાઈ રાઠોડ નામના ૭૦ વર્ષનાં વૃધ્ધે બિમારીથી કંટાળી જયુબેલી ગાર્ડનમાં જઈ પોતાના શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક પૂછતાછમાં વૃધ્ધને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું અને છેલ્લા લાંબા સમયથી અન્નનળી અને ગોઠણની બિમારીથી કંટાળી અગ્નીસ્નાન કરી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ વી.એમ. ડોડીયા અને રાઈટર પટેલ સહિતના સ્ટાફ ફરિયાદના આધારે તપાસ ચલાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.