Abtak Media Google News

સરકાર દ્વારા નર્મદા ની કેનાલ બનાવવાની ચાલુ કરી છે ત્યારથી બાંધકામ માં મોટાપાયે પોલમપોલ ચાલતી હોય તેમ દિવસેને દિવસે તેમાં ચાલતી ગેરરીતિ સામે આવી રહી છે ત્યારે જલદી રૂપિયા વાળા બની જવાની લ્હાય માં  અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો લોકોની જિંદગી મુશ્કેલી માં મુકતા હોય તેવું લાગી રહ્યું છે

હજી લખતર નજીક બની રહેલ પમપિંગ સ્ટેશન ના કોન્ટ્રાકટ માં કામ કરી રહેલ સુપરવાઈઝર દ્વારા કામ માં ચાલી રહેલ ગેરરીતિની સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર થી લઈને વિજિલન્સ શાખા ગાંધીનગર સુધી લેખિત માં ફરિયાદ કરી છે તેની તપાસ પણ થઈ નથી ત્યાં લખતર રેલવે સ્ટેશન થી વણા રોડ સુધી આવેલી મેઈન કેનાલ ની બાજુ માં કેનાલની માટી ધસી ના જાય કે ધોવાય ના જાય તે માટે તંત્ર દ્વારા બનાવવામાં આવેલી દિવાલ ખુદ સામાન્ય વરસાદ માં ધોવાઈ ગઈ છે જો અતિશય વરસાદ આવ્યો હોત તો આ દિવાલ અને કેનાલને સ્પોટ માટે નાખવામાં આવેલી માટી ની હાલત શુ થાત તે લોકોને સમજ માં આવતું નથી તો શું ગુજરાત સરકાર તાત્કાલિક કેનાલ નું રિસર્વે કરાવી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટર પગલાં ભરી યોગ્ય જાણવની કરવાવશે કે પછી હોતિ હે ને ચલતી હે જેવો ઘાટ સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.