Abtak Media Google News

દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું

શહેરના જરુરીયાત મંદ નાગરીકોના આરોગ્ય શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત પુજીત ‚પાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી) નાં સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.

પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં. ૨૭૦૪૫૪૫) ખાતે કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રુબરુ અથવા ફોનથી પણ કરાવી શકાશે.

આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો. પરિનભાઇ પટેલ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ જડબુ  સહીત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે.

વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઇ કઇ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામૂલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરુ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયર દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ચીત બની શકશે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રે જરુરીયાત મંદ પ્રજાજનોની સેવાઓ માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બીલ્ડીંગ માં ઓપીડી સેન્ટર પણ કાયરત છે. જેમાં માત્ર પાંચ ‚પીયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે.

ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ ‚પાણી, અંજલીબેન ‚પાણી, રંજનબેન ‚પાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, અમિનેશભાઇ ‚પાણી સહીતનાઓના કાર્યરત છે.

વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંઘ સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.