Abtak Media Google News

માણસના શરીરમાં આંખ સૌથી  મહત્વપૂર્ણ અંગ છે. સાથે જ સંવેદનશીલ પણ છે એટલા માટે તેની યોગ્ય દેખભાળ કરવાનું ખૂબ જ જરૂરી છે. નહીં તો આંખ નબળી ઈ જાય છે. આંખો નબળી વાના આમ તો ઘણા કારણ હોઈ શકે છે તેમ છતાં તેના મુખ્ય કારણો આનુવંશિક અને પોષક તત્વોની કમી હોઈ શકે છે. એટલા માટે આંખોને નિરોગી રાખવા માટે વિટામીન્સ અને પોષક તત્વોનું નિયમિત સેવન ખૂબ જ જરૂરી છે. આવો આજે જાણીએ કેટલીક એવી જ વસ્તુઓઓ વિશે જેના નિયમિત સેવની આંખ હંમેશા સ્વસ્થ રહે છે અને ચશ્મા પણ ની લાગતા.

આંખોને સ્વસ્થ રાખવા માટે દહીં, મગફળી, ડાર્ક ચોકલેટ અને કોકો પાવડર જિંક યુક્ત આહારનું સેવન ખૂબ જ જરૂરી છે. જિંક યુક્ત આહાર લેવાી આંખોના કાળા ધબ્બા પડવાની સમસ્યા દૂર નથી થતી. -વરિયાળી, મિશ્રી અને બદામ સરખી માત્રામાં પીસી લો. તેની એક ચમચી માત્રામાં સવાર-સાંજ પાણીની સાથે બે મહિના સુધી લો. તેનાી આંખોની નબળાઈ દૂર થાય છે તા નેત્ર જ્યોતિ વધે છે. ગ્રીન ટીના સેવની પણ આંખો સ્વસ્થ રહે છે. એક રિસર્ચ પ્રમાણે રોજ લગભગ પાંચ કપ ગ્રીન ટી પીવાથી શરીરને પર્પાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે જેનાી આંખો સ્વસ્થ રહે છે.

સોયા મિલ્સમાં વસા ઓછા અને પ્રોટીન વધુ હોય છે. તેમાં ફેટી એસિડ, વિટામિન ઈ જોવા મળે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીલા શાકભાજી અને સલાડને ભોજનમાં વધુને વધુ સામેલ કરો. તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ શરીરને સ્વસ્થ રાખે છે અને આંખોની સુરક્ષા થાય છે. સૂરજમુખીના બીજના સેવની પણ આંખો માટે ફાયદાકારક રહે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન સી, વિટામીન-ઈ, બીટા કેરોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે એટલા માટે તેના સેવની આંખોની નબળાઈ દૂર થઈ જાય છે.

ડ્રાયફ્રુટ્સને પોતાના ભોજનમાં સામેલ કરવાથી શરીરને યોગ્ય માત્રામાં ઊર્જા મળવાની સાથે એવા પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે જે આંખોને સ્વસ્થ બનાવે છે. -દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. તેના સેવનથી આંખોને યોગ્ય માત્રામાં પોષક તત્વો પ્રાપ્ત થાય છે. માત્ર બદામના સેવનથી પણ આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે. રોજ હરતા-ફરતા ૭ બદામ ખાવાથી  શરીરને જરૂરી માત્રામાં વિટામિન-ઈ પ્રાપ્ત થાય છે જે આંખોને સ્વસ્થ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.