વેરીસીલા જોસ્ટર વાયરસને કારણ દરેકને એક વખત તો ઓળી – અછબડા થાય છે. પણ શું બીજી વખત કોઇને ચિકનપોકસ થાય છે ખરી..? ચિકપોકસ ચેપી રોગ છે. જે ઝડપી શરીરમાં ફેલાઇ જાય છે. માટે જો કોઇને ચિકનપોકસ થયું હોય તેની પાસે બેસી રહેવાથી અથવા તેણે પીધેલા પીણાના વાસણનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાની શકયતાઓ છે. ચિકનપોકસ મટી ગયાના બે દિવસ બાદના સમય સુધી પણ ચેપ લાગી શકે છે. જો તમને કયારેય ચિકનપોકસ ન થયું હોય તો ચેપ લાગવાથી પુરી શકયતાઓ છે કે તમને પણ અછબડા થાય. એવામાં ડોકટરનો સંપર્ક કરી રસી લેવું જરૂરી છે. પણ એક વાત તમને જણાવી દઇએ કે કોઇને પણ બીજી વખત ચિકનપોકસ થતું નથી પણ વાયરસને કારણે હોય અને બિમારી થઇ શકે છે. જો આ વાયરસ શરીરમાં રહી જાય તો તે રોગપ્રતીકારક શકિત પર અસર કરે છે. જો કોઇ મહીલા પ્રેગનેન્ટ હોય અને તેને ચિકનપોકસ હજુ સુધી ન થયા હોય તો વેકસીન લગાવવું જરૂરી છે. જો કે બની શકે કે કોઇને જીવનભરમાં કયારેય ચિકનપોકસ ન પણ થાય. જરૂરી નથી કે બધાને એક વખત તો અછબડા થાય જ કારણ કે શકયતાઓ છે કે શરીરમાં પહેલાથી એન્ટીબોડીઝ તૈયાર થયા હોય તો તેને કારણે ચિકનપોકસ થતા નથી.
Trending
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત
- સાબરકાંઠામાં ભાજપનો ડખ્ખો જામ્યો: તમામ બેઠકો તાકિદે રદ