Abtak Media Google News

આર્ટ ઓફ લીવીંગ દ્વારા રાજકોટમાં ડો.મુસ્તુફા તથા અમરીશભાઈના સાનિઘ્યમાં હેપીનેષ કોર્ષનું આયોજન તા.૧૨ માર્ચથી ૧૭ માર્ચ સવારે ૬ થી ૯ સ્નેહ નિર્જર કિડની હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. હેપીનેષ કોર્ષનું મુખ્ય ભાગ એ સુદર્શન ક્રિયા છે જેના દ્વારા વિશ્વભરમાં ૩૭ કરોડથી વધુ લોકો લાભ લઈ જીવનમાં પ્રેમ, ઉત્સાહ અને આનંદનો અનુભવ કરી રહ્યાં છે.

સુદર્શન ક્રિયાએ શ્ર્વાચ્છોશ્ર્વાસની ખુબ અસરકારક વૈજ્ઞાનિક પઘ્ધતિ છે જેનાથી પુરતો પ્રાણવાયુ શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. ટુંકમાં કહીએ તો રોજબરોજની ચિંતા, તણાવપૂર્ણ જીવનશૈલી અને પ્રદુષિત વાતાવરણથી ઉપન્ન થતા કચરાને મન અને શરીરના કોષોમાંથી દૂર કરે છે. કુદરતી શકિત અને ઉત્સાહ ફરીથી પ્રાપ્ત થાય છે. વધુ માહિતી માટે સકીના મો.નં.૯૯૦૯૦ ૬૫૦૬૫, ડો.મુસ્તુફા મો.૯૯૦૯૦ ૬૮૧૬૮નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.