Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સમગ્ર દેશ ગુસ્સામાં છે. દરેક વ્યક્તિ આતંકી હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યું છે. જેટલો ગુસ્સો દેશની જનતામાં છે તેટલો જ ગુસ્સો દેશની સેનામાં છે. શુક્રવારે CRPFના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ પણ કરવામાં આવી છે. જે દેશના લોકોને હિંમત આપી રહી છે. સીઆરપીએફએ તેમની ટ્વીટમાં કહ્યું કે, તેઓ આ હુમલાનો બદલો ચોક્કસથી લેશે.

સીઆરપીએફ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, અમે ભૂલીશુ નહીં, અમે છોડીશું નહીં. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારની સાથે ઉભા છીએ. આ જીવલેણ હુમલાનો બદલો ચોક્કસથી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.