રાજ્યમાં ગત માર્ચ મહિનાથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્ય સરકારની આવક પર મોટી બ્રેક લાગી જવા પામી હતી. આર્થિક કટોકટીના કારણે ધારાસભ્યોને વિકાસકામો માટે ફાળવાતી ગ્રાન્ટ છેલ્લા 10 માસથી બંધ છે. દરમિયાન હવે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે આગામી નવા નાણાકીય વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોની વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત આજે નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા બજેટ રજૂ કરતી વેળાએ કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં છેલ્લા 10 માસથી ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા અટકાવી દેવામાં આવી છે. હવે જ્યારે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે નવા નાણાકીય વર્ષ અર્થાત 1લી એપ્રીલથી તમામ ધારાસભ્યોને વિકાસ કામો માટે વાર્ષિક નિયત કરાયેલી ગ્રાન્ટ ફરી શરૂ કરી દેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા